ઈશ્વરિયાના પાટિયા પર અકસ્માતો રોકવા ગતિઅવરોધક મુકવા માંગ

963
bvn552018-2.jpg

ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઈશ્વરિયાના પાટિયા પર સર્જાતા અકસ્માતો રોકવા ગતિઅવરોધક મુકવા માંગ થઈ છે. આ અંગે સંબંધિત તંત્રવાહકોને રજુઆત કરાઈ છે. 
માર્ગ વિસ્તૃતિકરણ બાદ સ્વાભાવિક વાહનોની ઝડપ વધતા ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર સણોસરા અને રામધરી ગામ વચ્ચે ઇશ્વરિયાના પાટિયા પાસે જીવલેણ અકસ્માતો સર્જાતા રહ્યા છે. આ અંગે ગ્રામ પંચાયત સભ્ય મુકેશકુમાર પંડિત દ્વારા સંબંધિત તંત્રવાહકોને લેખિત રજૂઆત કરાઈ છે. 
ઈશવરિયાના પાટિયા પર બંને બાજુ તકેદારીરૂપ ગતિ અવરોધકો મુકવા જરૂરી છે. અહીં સર્જાતા અકસ્માતો રોકવા આ અંગે માંગ થઈ છે. લોકરોષ કે આંદોલન જેવા કાર્યક્રમો ઉભા ન થાય અને સેવાળ સલામતી સર ગતિ અવરોધકો મુકવામાં આવશે તેમ પત્રમાં આશા વ્યકત કરાઈ છે. 

Previous articleમહુવામાં વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઘરનું વિતરણ
Next articleભાવનગરના બે મહિલા આર્ટીસ્ટોનું જયપુર ખાતે ચિત્ર ફોટો પ્રદર્શન