વરતેજના નવાગામની ખુલ્લી જગ્યામાંથી નવજાત શીશુ મળ્યું

984
bvn12518-5.jpg

ભાવનગર નજીકના નવાગામની ખુલ્લી જગ્યામાં બાવળની કાંટ પાસે નવજાત બાળકી મળી આવતા ગામ લોકો એકઠા થયા હતા અને વરતેજ પોલીસને તેમજ ૧૦૮ સેવાને બનાવ અંગેની જાણ કરાતા નવજાત બાળકીને ૧૦૮ સેવા દ્વારા સર ટી. હોસ્પિટલ ખસેડાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, વરતેજ નજીકના નવાગામે આવેલ રામાપીરના મંદિર પાછળ તળાવના કિનારે બાવળની કાંટમાં ઝાડીમાં ટીંગાયેલી હાલતે નવજાત શીશુ હોવાની જાણ થતા ગામના સરપંચ પરેશભાઈ મેર તથા ગ્રામજનો એકઠા થયા હતા અને બનાવ અંગે વરતેજ પોલીસ અને ૧૦૮ સેવાનો જાણ કરાતા ૧૦૮ના ઈએમટી વનરાજભાઈ બારૈયા અને પાઈલોટ બ્રિજેશ વ્યાસ તાબડતોબ બનાવ સ્થળે દોડી જઈ પોલીસે જરૂરી કેસ કાગળો કરી નવજાત શિશુને ૧૦૮ સેવા દ્વારા સર ટી. હોસ્પિટલ ખસેડાયું છે. બનાવ અંગે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous article બિભત્સ બોલી વિડીયો વાયરલ કરનાર સગીર સહિત ૩ ઝડપાયા
Next article અનેક ગુનામાં સંડોવાયેલ સિંધુનગરનો શખ્સ પાસામાં