સિહોરમાં ભાજપ શાસીત ન.પા. સામે કોંગ્રેસ દ્વારા આંદોલનનાં મંડાણ કરાયા

1400

સિહોર નગરપાલીકામા ભાજપનું શાસન અને જાણએ સિહોર નગરપાલિકાના પ્રમુખ નહિ પણ ભાજપના પ્રમુખ હોય તેમ મનસ્વી રીતે બહુમતી ના જોરે કોગ્રેસ ના નગર સેવકોના કામ નહિ થવા દેવા આપખુદ શાહિ અપનાવી રહયા છે સિહોરની જનતાના મતે ચુંટાયેલા કોંગ્રેસના નગરસેવકો ના કામ નહી થવા દેવા એન કેન પ્રકારે બહુમતીથી અટકાવવામા આવે છે જે લોકશાહી માટે શરમજનક છે તેમજ સિહોરની જનતાનુ અપમાન પણ છે સમગ્ર સિહોર શહેર કોંગ્રેસની ટીમ તથા નગર સેવકો પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ ની આગેવાની  હેઠળ લડી લેવાના મુડમા છે સિહોરની જનતાએ આપેલા મતોનુ અપમાન થવા દેવા માગતી નથી માટે સિહોર કોંગ્રેસના નગર સેવકો  તા. ૨૯ /૫ /૨૦૧૮ ને મંગળવાર થી સવારે ૧૧ઃ૦૦ કલાક થી સાંજે ૪ઃ૦૦ કલાક સુધી નગરપાલિકા કચેરી સામે જ ઉપવાસી ધરણા   અને નિરાકરણ ના આવે તો ઉગ્ર આંદોલન પણ કરવા ની તૈયારીયો શરૂ કરી છે. આ ઉપવાસ ધરણામા પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ,  જગદીશ શેલાણા, મુકેશ જાની, કિરણ ઘેલડા, ચેતન ત્રિવેદી, શુભાસભાઈ રાઠોડ, દિવ્યાબેન મેહતા કેતનભાઈજાની, સંજય ચૌહાણ. ચુંટણી લડેલા ઉમેદવારો મહિલા કોંગ્રેસ, આઇ.ટી સેલ અને વિવિધ સેલના હોદ્દેદારો અને કાયઁકરો બહોળી સંખ્યામા હાજર રહિયા હતા.

Previous articleમાછીમારોનું વેકેશન શરૂ હવે ૧પ ઓગષ્ટથી સિઝન શરૂ થશે
Next articleમેઘરાજાનાં આગમનના આગોતરા એંધાણ