૧૦૮ સેવાની સરાહનિય કામગીરી

1546

અધેલાઈ નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બનતા સર ટી. હોસ્પિટલ ૧૦૮ના નિતેશભાઈ વંકાણી, વિરમદેવસિંહ, પ્રભુદાસ તળાવ ૧૦૮ના ચંદ્રકાંતભાઈ અને સંજયસિંહ તથા બનાવની જાણ થતા બનાવસ્થળે પહેલા પહોંચેલી નારી ગામ ૧૦૮ લોકેશનના હિરેનભાઈ રાઠોડ અને બાબુભાઈ મકવાણાએ તમામ ઈજાગ્રસ્તોને તુરંત સારવાર પુરી પાડી હતી.જ્યારે બન્ને કારમાં રહેલો સામાન જેમાં ૧પ જેટલી બેગો, પાકીટ, મોબાઈલ, રોકડ રૂપિયા સહિતનો સામાન પોતાના કબ્જા લઈ સર ટી. હોસ્પિટલ પોલીસ ચોકીએ સોંપી દઈ ઈજાગ્રસ્ત લોકોના સગા-સંબંધીને ઓળખ કરાવી સોંપી દીધો હતો. સગા-સંબંધીઓએ ૧૦૮ સેવાની આ કામગીરીને બિરદાવી હતી.

Previous article૧ સિંહ, ૧૦ નિલગાયના કુવામાંથી મૃતદેહ મળ્યા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે