અધેલાઈ નજીક અકસ્માત : ત્રણના મોત

2089

ભાવનગર-અમદાવાદ રૂટ ફરી એક વખત રક્તરંજીત થયો છે. સાંજના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત નિપજવા પામ્યા છે. જ્યારે અન્ય સાત વ્યક્તિને ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા ભાવનગર સર ટી.માં ખસેડાયા છે. બનાવ બનતા હોસ્પિટલ ખાતે સગા સંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા.

બનાવની મળતી વિગતો મુજબ, ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેલાઈ નજીક ભાવનગરની ડસ્ટન કાર નં.જીજે૪ સીઆર ૬ર૯૬ અને ઈકો કાર નં.જીજે૧૮ બીએચ ૮૪૪પ વચ્ચે સાંજના સુમારે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બનાવમાં બન્નેે કારમાં મુસાફરી કરી રહેલા ૧૦ થી વધુ વ્યક્તિઓને લોહીયાળ ઈજાઓ થવા પામી હતી. જેમાં અસલમભાઈ યુનુસભાઈ કુરેશી રે.વડવા નેરા અને સુધીરભાઈ પ્રભાશંકરભાઈ યાદવ રે.સુરતવાળાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે જગદિશભાઈ હરીભાઈ વાઘેલા, ક્રિષ્નકાંતભાઈ હરીભાઈ વાઘેલા, લીકેનભાઈ મહેશભાઈ પરમાર, જીગ્નેશભાઈ જગદિશભાઈ વાઘેલા, કરણ પંકજભાઈ, જીમીકાન્તભાઈ વાઘેલા, અસ્લમભાઈ પઠાણ અને દિલાવરભાઈ યુસુફભાઈ શેખને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા ભાવનગર સર ટી.માં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યાં જગદિશભાઈ હરીભાઈ વાઘેલાનું મોત નિપજવા પામ્યું છે. બનાવની જાણ થતા ઈજાગ્રસ્તોના સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસ સ્ટાફ બનાવસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મરણ પામેલ ત્રણ વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleગુજરાતમાં ૫, ૬, અને ૭મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો