મારામારીના ગુનામાં ફરાર શખ્સને એસઓજીએ ઝડપ્યો

1617

નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં ફરાર શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો હતો.

આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૩૨૩,૩૨૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નીતીનભાઇ મોતીભાઇ મેવાણી ઉ.વ.૨૦ રહે. સાંઇવીલા એપાર્ટમેન્ટ, રૂમ નં.૧૦૩, મનુભાઇ ગાઠીયાવાળાની બાજુમાં ભાવનગરવાળાને  સંતકવરામ ચોક પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous articleનાની રાજસ્થળી પાસે બે બાઈકનો અકસ્માત સર્જાતા રત્નકલાકારનું મોત
Next articleવરતેજ પોલીસે દારૂ ભરેલી સ્કોર્પીયો સાથે ૧ શખ્સને રંગે હાથ ઝડપ્યો