ઈઝરાઈલ દ્વારા કરાતા હુમલાનો મહુવામાં વિરોધ, આવેદન અપાયું

976

આંતરરાષ્ટ્રીય કુદ્‌સ દિવસ નિમિત્તે ઈઝરાઈલ દ્વારા પેલેસ્ટાઈનમાં થતા ઝુલ્મો અને મુસલમાનોના પવિત્ર સ્થળ બેયતુલ મુકદ્‌સ પર ઈઝરાઈલી ગેરકાયદેસર કબ્જાનો વિરોધ દર્શાવવાના હેતુથી તા.૮-૬-ર૦૧૮ મહુવા પીરઝાદા ચોકથી વાસીતળાવ થઈ સીટીઝન ચોક સુધી રેલી કાઢવામાં આવેલ અને મહુવા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં મોટીસંખ્યામાં લોકો હાજર રહેલ અને ઈઝરાઈલ દ્વારા થતા ઝુલ્મ તથા આતંકવાદના ખીલાફ પોતાનો વિરોધ દર્શાવેલ.

Previous articleસમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો
Next articleભંડારિયાના ગ્રાહકોને એટીએમના નામે ઉઠા ભણાવતી યુનિયન બેંક !