સિહોર કોંગ્રેસ દ્વારા ઘંટનાદ કાર્યક્રમ : રોડ પર ચકકાજામ

1131

ગુજરાતમા ભાજપ સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે ખેડુ વિરોધી,યુવા વિરોધી છે બેરોજગારી હદ વટાવી ચૂકી છે ઉપર થી આ મોંઘવારી અને કાયદો અને વ્યવસ્થા કથળી પડયા છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે સરકાર પોતાના હરવા ફરવા મોટા મોટા તાયફા અને ઉદ્યોગપતિઓ ના ફાયદા મા પોતાની અલગ દુનિયા બનાવી તેમા મસ્ત નિંદ્રાધીન છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લોકોની મુશ્કેલી નો સરકાર સુધી પહોચાડવા રાજયવ્યાપી આંદોલન કર્યું છે બે દિવસ થી રાજ્ય વ્યાપી ચાલે છે જેના અનુસંધાને આજે બીજા દિવસે સિહોર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ઘંટનાદ કરીને સરકારને જાગતી કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રીતસર લોકોમાં રોષ જોવા મળ્યો હતો કાર્યકરો અને ખેડૂતો દ્વારા શાકભાજી રોડ પર ફેંકી કપાસને સળગાવીને સરકાર વિરોધના સૂત્રચાર કર્યા હતા રિતરસ કહી શકાય કે સરકાર સામે રીતસર લોકો રોષે જોવા મળ્યા હતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા રોડ બેસી જઈને સરકાર વિરોધી સૂત્રચાર કર્યા હતા ટ્રાફિક જામ કર્યો હતો વાહનોનો કતારો લાગી હતી અને પોલીસે પણ તમામની અટકાયત કરી છે કાર્યક્રમમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleઅમરેલીમાં ખીનજચોરી કરતા નવ શખ્સોને વાહનો સાથે ઝડપી લીધા
Next articleઘોઘાસર્કલ લીંબડીયુમાં તોતીંગ વૃક્ષ ધરાશય થતાં પિતા-પુત્રને ઈજા