સિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત

1095

સિહોર રાજકોટ રોડ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા જાંબાળા ગામના બાઈક સવાર યુવાનનું મોત નીપજવા પામ્યુ હતું. રાજકોટ રોડ પર રેસ્ટ હાઉસ નજીક ગતમોડીરાત્રે પુરપાટ ઝડપે આવી રહેલાં અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર શૈલેષભાઈ વલ્લભભાઈ સોલંકી ઉ.વ.૨૪ રે. જાંબાળાને અડફેટે લેતા યુવાનનું મોત નીપજવા પામ્યુ હતું બનાવની જાણ થતાં સિહોર પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleEx સર્વિસમેનને જુના નિયમ મુજબ જ મળશે દારૂની પરમીટ : ગૃહ રાજ્યમંત્રી
Next articleરાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ