949

જિલ્લામાંથી તડીપાર કરેલ નવા રાજપરાના શખ્સને ઝડપી લીધો

ભાવનગર તા. રપ

તળાજા તાલુકાના નવા રાજપરા ગામે રહેતા શખ્સને જિલ્લામાંથી તડીપાર કરેલ હોય તેને એસઓજી ટીમે ગોપનાથ ચોકડી પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લાના પ્રવેશ કરી છાની છુપી રીતે રહે છે તેવી હકિકત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલના ધ્યાને આવતા આગામી રથયાત્રા શાંતીપુર્ણ માહોલમાં યોજાય.આવા તડીયાર થયેલ ઇસમોને ઝડપી પાડવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસઓજી શાખાના પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ બાતમી આધારે ભાવનગર તથા ભાવનગરના સરહદી જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ મનસુખભાઇ ઉર્ફે આણંદભાઇ ઠાકરભાઇ ઢાપા ઉ.વ. ૨૪ રહેવાસી નવા રાજપરા તા. તળાજા,દાઠા તાબેના ગોપનાથ ચોકડી ખાતેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના  આસી. સબ ઇન્સ. જી.પી.જાની, હેડ કોન્સ. ટી.કે. સોલંકી, પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા, શરદભાઇ ભટ્ટ, ડ્રા. પો.કો. પરેશભાઇ પટેલ જોડાયા હતાં.

Previous articleવિશ્વ સફેદ ડાઘ દિવસ નિમિત્તે સર.ટી.માં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Next articleકેન્દ્રની ચાર વર્ષની સિધ્ધિ અંગે સાંસદ દ્વારા લોકસંપર્ક અભિયાન