સિહોરમાં ખુંટીયા પર એસીડ એટેક

1452

સિહોર શહેરમાં આજરોજ એક ખુટીયા પર કોઈ નરાધમે એસીડ ફેંકી ગંભીર ઈજાઓ કરતા ગૌભકતોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ સિહોર ખાતે કોઈ નરાધમો ખુટીયા પર એસીડ અથવા કોઈ જલદ પદાર્થ ફેંકી ગંભીર ઈજાઓ કરી પુંછડાને કાપી નાખી છોડી મુકેલ આ ઘટના બનતાં ગૌભકતોમાં ભારે રોષ ફેલાયો છે અને આ માનનવીય કૃત્ય કરનાર નરાધમને ઝડપી લેવા ઉગ્ર માંગ કરાઈ છે. અવાર-નવાર બનતા મુંગા પશુ પર એસીડ એટેકથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

Previous articleમનાઈ છતાં પ્લાસ્ટીકનો ઉપયોગ બેફામ
Next articleકણકોટ હત્યાના આરોપીઓનું સરઘસ