બાબરા ગામે ત્રિપલ અક્સ્માત : બેના મોત

2482

ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ બાબરા ગામના બસ સ્ટેન્ડ નજીક બપોરના સુમારે એસ.ટી. બસ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનતાં બાઈક સવાર બે યુવાનોના મોત નીપજવા પામ્યા હતા. બનાવની જાણ થતા બાબરા પોલીસ સ્ટાફ અને ૧૦૮ સેવા બનાવ સ્થળે દોડી જઈ એસ.ટી.માં સવાર નવથી વધુ ઈજા ગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાવની મળતી વિગત મુજબ ભાવનગર-રાજકોટ હાઈવે પર બાબરા ગામે બસ સ્ટેન્ડ નજીક બપોરના સુમારે ભુજ-ભાવનગર રૂટની એસ.ટી. બસ નં. જી.જે.૧૮ ઝેડ ૨૫૬૬ અને ટ્રક તેમજ બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો બનાવમાં બાઈક સવાર અરવિંદભાઈ ભીમભાઈ અને દેવજીભાઈ ભવાનભાઈ રે. બન્ને વીરનગર વાળાને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર  જ કરૂણમોત નીપજ્યા હતા જ્યારે એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલાં નવ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં ૧૦૮ સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા બાબરા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ અકસ્માત અંગે ગુનો નોધી વધુ તપાસ પી.એસ.આઈ. પી.એન. મોરીએ હાથ ધર્યુ છે.

Previous articleતળાજા-મહુવામાં બે-બે ઈંચ વરસાદ
Next articleકસ્તુરબા ગાંધી વિદ્યાલયના સંચાલકોએ ૪ વિદ્યાર્થીનીઓને એલસી પકડાવી દેતા ચક્ચાર