વ્યકિત્વ વિકાસ વિષય પર રાજુભાઈ રાણાનું વ્યાખ્યાન

1288

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ભાવનગરના પુર્વ સાંસદ રાજુભાઈ રાણાનું વ્યકિતત્વ વિકાસ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, તેમને હાલના સમયમાં વિદ્યાર્થી જીવનમાં પોતાના વ્યકિત્વનું મહત્વ કેટલું છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમો પર્સનાલીટી કઈ રીતે કામમાં આવશે ?

તેમને જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ જીવનમાં આગળ વધુ હોય તો પોતાની પર્સનાલીટી બનાવવી પડશે. હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં વ્યકિતની પર્સનાલીટી ઉપર જ તેના જીવનનું ઘડતર થાય છે. જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં તમારી પાસે એજયુકેશનની સાથે તમારી પર્સનાલીટી ન હોય તો ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ? તેના અનેક ઉદાહરણો આપીને પર્સનાલીટીનું મહત્વ સમજાવ્યું હતું.

આ ઉપરાંત આજના વિદ્યાર્થીઓએ તેમની પર્સનાલીટીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરી નાની નાની બાબતોનો ખ્યાલ રાખી જીવનમાં તેનો સમયસર અમલ કરવામાં આવે તો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વ્યકિતની પર્સનાલીટીએ મનુષ્યના જીવનનું એક અંગ છે, અને તે સમાજમાં કેવો ભાગ ભજવે છે ? અને વિદ્યાર્થી તેના જીવનમાં સમયસર તેની પર્સનાલીટીનો વિકાસ નહીં કરી શકે તો ભવિષ્યમાં સમાજમાં તેનું સ્થાન કયાં હોય છે ? તેની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleતળાજાના અર્બન વિસ્તારમાં તમાકું નિયંત્રણ સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકીંગ
Next articleમોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં વૃક્ષારોપણ કરાયું