મોતીતળાવ ખાતે રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોર્યો

1818

શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતી અને ગઢડા ખાતે પિયર ધરાવતી યુવતીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. મૃતકના નિકાહ એક વર્ષ પૂર્વે જ થયા હતા અને તેણીને સાત માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુંભારવાડા મોતીતળાવ ખાતે રહેતા મહેજબીનબેન આરીફભાઈ સૈયદ ઉ.વ.ર૦ આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી જઈ લાશનો કબ્જો લઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી. બનાવમાં મૃતક યુવતીના પરિવારજનોએ તેના સાસરીયાઓએ મારી નાખી લટકાવી દીધી હોવાના આક્ષેપ કર્યા હતા.

મૃતક પરણિતાના પિતાની સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ

શહેરના કુંભારવાડા મોતીતળાવ ખાતે રહેતી મહેજબીનબેન આરીફભાઈ સૈયદ નામની પરણિતાએ આજરોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો છે. બનાવ અંગે પરણિતાના પિતા ઈકબાલભાઈ આદમભાઈ રફાઈ રે.ગઢડા (સ્વામીના)એ બોરતળાવ પોલીસ મથકમાં જમાઈ આરીફભાઈ સૈયદ, મૃતકના સસરા, સાસુ, જેઠ, જેઠાણી, નણંદ, નણદોઈ વિરૂધ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ આપતા પોલીસ કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કે.એમ. રાવળએ હાથ ધરી છે.

Previous articleGSTને લઇ ૧૫-૧૬મીએ દેશભરના વકીલોનું મનોમંથન
Next articleફેદરા ગામ નજીક કારની ગુલાટ ધોેલેરા પાસે ટ્રક નાળામાં ખાબક્યો