ગાંધીનગર સે.-૭ રથયાત્રામાં ઘોડી ભડકી : એક યુવતી સહિત બે લોકોને ગંભીર ઇજાઓ

1273

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા નિકળ્યા છે. તે સમયે રથયાત્રામાં એક ઘોડી ભડકી ગઇ હતી અને રથયાત્રમાં સામેલ લોકોને અડફેટે લઇ ભાગી ગઇ હતી. ઘોડીની અડફેટે બે લોકોને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથજી આજે શહેરમાં નગરચર્યા કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર રથયાત્રા દરમિયાન સેક્ટર ૭ શોપીંગમાં એક ઘોડી કોઇ કારણસર ભડકી હતી અને ચાર લોકોને અકફેટે લીઇ ભાગી ગઇ હતી. ઘોડીની અડફેટે આવતા એક યુવતી સહિત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રથયાત્રામાં સામેલ લોકોએ ૧૦૮ને ફોન કરી જાણ કરી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગેલ પોલીસ દ્વારા તમામ ઘોડે સવારોને રથયાત્રાથી દૂર કરી દેવામાં આવ્યા છે.

Previous articleરાજુલાના વિક્ટર સહિતના દરિયા કાંઠે અનરાધાર ૬ ઇંચ વરસાદ ખાબક્યો
Next articleસારંગપુરમાં પ્રમુખસ્વામી માર્ગ ખુલ્લો મુકાયો