તાજેતરમાં શહેરના આંગણે યોજાયેલા ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા અન્વયે રાજ્યના અનેક શહેરોમાંથી સુરક્ષા બંદોબસ્ત અર્થે આવેલ સુરક્ષા જવાનો માટે પોલીસ સહકાર ગ્રુપ ભાવનગર દ્વારા ચા-પાણી, નાસ્તા સહિતનું વિતરણ કર્યુ હતું. પોલીસ અધિકારીગણ તથા અન્ય સુરક્ષા જવાનો દ્વારા આ સેવાકિય પ્રવૃત્તિની ભારે સરાહના કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી માટે ગ્રુપના જીતેન્દ્રભાઈ (મુન્નાભાઈ) ગોહેલ, ઈશ્વરભાઈ, સુરેન્દ્રભાઈ, મનિષભાઈ સહિતના સભ્યો જોડાયા હતા.