રથયાત્રામાં પોલીસ સહકાર ટીમની સુંદર સેવા

934

 

તાજેતરમાં શહેરના આંગણે યોજાયેલા ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા અન્વયે રાજ્યના અનેક શહેરોમાંથી સુરક્ષા બંદોબસ્ત અર્થે આવેલ સુરક્ષા જવાનો માટે પોલીસ સહકાર ગ્રુપ ભાવનગર દ્વારા ચા-પાણી, નાસ્તા સહિતનું વિતરણ કર્યુ હતું. પોલીસ અધિકારીગણ તથા અન્ય સુરક્ષા જવાનો દ્વારા આ સેવાકિય પ્રવૃત્તિની ભારે સરાહના કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી માટે ગ્રુપના જીતેન્દ્રભાઈ (મુન્નાભાઈ) ગોહેલ, ઈશ્વરભાઈ, સુરેન્દ્રભાઈ, મનિષભાઈ સહિતના સભ્યો જોડાયા હતા.

 

Previous articleભારત નિર્માણના PMના વિઝન માટે યુવાનો સહકાર આપે : શાહ
Next articleવુમન્સ એન્ડ ચીલ્ડ્રન-શો યોજાયો