રાહુલનું ઈચ્છાધારી હિન્દુત્વ નહીં ચાલે : સંબિત પાત્રા

1193

યુથ પાર્લામેન્ટમાં કોંગ્રેસના નેતા પવન ખેરાએ મોદી ચૂંટણીના રસ્તે સત્તામાં આવ્યા અને ચૂંટણીના રસ્તે જ પાછા જશે એવું કહેતાની સાથે જ વિદ્યાર્થીઓ મોદી-મોદીના નારા લગાવીને ખેરાને ચૂપ કરાવ્યાં હતાં. ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા સંબિત પાત્રાએ કટાક્ષ કર્યો કે, રાહુલ ગાંધીનું ઈચ્છાધારી હિન્દુત્વ નહીં ચાલે, મોદી જ દેશને આગળ લઈ જશે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પાછળ રૂ. ૩૯૦૦ કરોડનો ખર્ચ થયો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થાય તો રૂ.૪૫૦૦ કરોડ જેટલો જ ખર્ચ થાય. પવન ખેરાએ જણાવ્યું હતું કે, વન નેશન વન ઈલેકશનથી મતની ધાર બુઠ્ઠી થઈ જશે.

 

Previous articleજિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણનો પ્રારંભ
Next articleમંદિર નહીં સાયન્સ જ રોજગારીનું સર્જન કરી શકે છે : સામ પિત્રોડા