ગૌત્તમેશ્વર તળાવમાં નવા નીરના વધામણા

1718

છેલ્લા બે વર્ષથી ખાલી રહેલા અને સિહોરને પાણી પુરૂ પાડતા શાન ગણાતા એવા ગૌત્તમેશ્વર તળાવમાં ચાલુ વર્ષે સારા વરસાદના પગલે નવ ફુટ જેટલા નવા નીર આવતા નગરજનોમાં આનંદ છવાયો છે. ત્યારે નગરપાલિકાના હોદ્દેદારો, ચૂંટાયેલા નગરસેવકો સહિત ભાજપ મહિલા મોરચાએ આજે ગૌત્તમેશ્વર તળાવમાં નવા નીરના  વધામણા કર્યા હતા અને જળપુજન કરી તળાવ છલકાય તેવી પ્રાર્થના કરી હતી.

Previous articleભાવનગર રેન્જI IG અમિતકુમાર વિશ્વકર્માનો વિદાય સમારંભ યોજાયો
Next articleઘોઘા ગામે દરિયાઈ સંરક્ષણ દિવાલ તાત્કાલિક નહીં બનાવાય તો પ્રમુખ દ્વારા આંદોલનની ચિમકી