ભાવનગર રેન્જI IG અમિતકુમાર વિશ્વકર્માનો વિદાય સમારંભ યોજાયો

2161

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે ૩૧ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ભાવનગર રેન્જ આઈ.જી. અમિતકુમારને અમદાવાદ સેક્ટર-૧ ખાતે મુકાયા છે. જેમનો આજરોજ ભાવનગર એસ.પી. કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી અધિકારીઓની બદલીમાં ભાવનગર રેન્જ આઈ.જી. વિશ્વકર્માને અમદાવાદ સેક્ટર-૧ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ ગાંધીનગર પી એન્ડ એમના આઈ.જી.પી. એન.એન. કોમારાની નિમણુંક કરાઈ છે. જે અનુસંધાને આજરોજ ભાવનગર એસ.પી. કચેરી ખાતે આઈ.જી. અમિતકુમાર વિશ્વકર્માનો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર એસ.પી. માલ, બોટાદ એસ.પી. પરમાર અને અમરેલી એસ.પી. રાય તેમજ ડીવાયએસઓ અને પોલીસ ઈન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યાં હતા અને આઈ.જી. અમિતકુમારને બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ભાવનગર ડીવાયએસપી મનિષ ઠાકરે પ્રવચન આપ્યું હતું અને આઈ.જી. અમિતકુમારે તેમના અનુભવો વર્ણવ્યા હતા.

Previous articleરોડ રસ્તા વચ્ચે ભરાયેલા ગંદા પાણીનો કરાયેલો નિકાલ
Next articleગૌત્તમેશ્વર તળાવમાં નવા નીરના વધામણા