પવનચક્કી હટાવોનાં નારા સાથે કતપર ગ્રામજનોએ રેલી કાઢી, આંદોલનનો પ્રારંભ

1434

મહુવા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના કતપર બંદર લાઇટ હાઉસ વિસ્તારના ગ્રામજનો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કતપર મુકામે છાવણી નાખી કે પી એનર્જી દ્વારા આડેધડ નાખવામાં આવતી પવનચક્કીના વિરોધમાં ૨૪ કલાક આંદોલન કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આંદોલનકારીઓ દ્વારા મહુવાની મુખ્ય બજારોમાંથી  પસાર થઈને રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ખેડૂત આગેવાન મનુભાઈ ચાવડા કોળી સમાજના આગેવાન પ્રવિણભાઇ વાળા મેથાળા બંધારા સમિતિના સભ્ય પ્રતાપભાઈ ગોહિલ નાગરિક બેંકના ચેરમેન બીપીનભાઈ સંઘવી આંદોલનકારી અશોકભાઈ ભાલિયા ભાવનગર ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળા મહુવા તાલુકા કોળી સમાજના યુવા આગેવાન ચંદુભાઈ ભાલિયા પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનના સભ્યો તેમજ કતપર બંદર લાઇટ હાઉસ તથા આસપાસના ગામોના લોકો બહોળી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા અને પવનચક્કીન હટાવવાની માંગ કરી હતી.

Previous articleગ્રામ્ય જિલ્લા-કક્ષાના કલા મહાકુંભનું થયેલુ આયોજન
Next articleભાવ. યુનિ.માં NSUI દ્વારા તાળાબંધી