GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

6492

(૧૬૬) કંજેટા મધ માટે દાહોદનું ક્યુ સ્થળ જાણીતું છે ?
– લીમખેડા
(૧૬૭) રંગરસાયણ માટે જાણીતું અતુલનું કારખાનું ક્યાં આવેલું છે ?
– વલસાડ
(૧૬૮) સ્વામી સહજાનંદે દિક્ષા લીધી તે ગામનું નામ શું હતું ?
– લોજ (જુનાગઢ)
(૧૬૯) રાજા પેથાસિંહે વસાવેલું “પેથાપુર” ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– ગાંધીનગર
(૧૭૦) ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ ક્યાં આવેલી છે ?
– આકોદરા (સાબરકાંઠા)
(૧૭૧) મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં યોજાઈ હતી ?
– વીસનગર
(૧૭૨) શંખોદ્વાર બેટ તરીકે ક્યાં વિસ્તારને ઓળખવામાં આવે છે ?
– બેટ દ્વારકા
(૧૭૩) ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનું જન્મ સ્થળ ક્યુ છે ?
– અમરેલી
(૧૭૪) ભરૂચમાં વિકસી રહેલું તેલક્ષેત્ર ક્યુ છે ?
– ગાંધાર
(૧૭૫) ગુજરાતમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતાં ?
– અમરસિંહ ચૌધરી
(૧૭૬) ગુજરાતમાં સૌપ્રથમ ટેલીવિઝનની શરૂઆત ક્યાંથી થઈ હતી ?
– પીજ (ખેડા)
(૧૭૭) થર્મોપોલી જિલ્લા તરીકે ક્યો જિલ્લો ઓળખાય છે ?
– વલસાડ
(૧૭૮) ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી ?
– પાટણ
(૧૭૯) ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી હતી ?
– જામનગર
(૧૮૦) ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર ક્યુ છે ?
– સુરત
(૧૮૧) સોમનાથ મંદિરનો જીર્ણોેદ્ધાર કોણે કરાવ્યો હતો ?
– સરદાર વલ્લભભાઇ પટેલ
(૧૮૨) ઉતરાર્ધ મહોત્સવ પ્રતિવર્ષ ક્યાં યોજાઈ છે ?
– મોઢેરા
(૧૮૩) ઊંટની લે-વેચ માટે જાણીતો કાત્યોકનો મેળો ક્યાં ભરાય છે ?
– સિદ્ધપુર
(૧૮૪) ગુજરાતમાં જમાદાર કેરી માટે જાણીતું શહેર ક્યુ છે ?
– મહુવા (ભાવનગર)
(૧૮૫) શ્રી ક્રુષ્ણની પટરાણીઓનો મહેલ ક્યાં આવેલો છે ?
– બેટ દ્વારકા
(૧૮૬) ભારતનું માન્ચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ક્યુ શહેર જાણીતું છે ?
– અમદાવાદ
(૧૮૭) ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ક્યાં સ્થપાઈ હતી ?
– ગાંધાર (ભરૂચ)
(૧૮૮) ચાબખાના રચયિતા ભોજા ભગત સાથે સંબંધિત શહેર “ફતેહપુર” ક્યા જિલ્લામાં આવેલ છે?
– અમરેલી
(૧૮૯) સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે?
– ૧૩૮.૬૮ મીટર
(૧૯૦) વિશ્વભરમાં પ્રખ્યાત (ૈંઇસ્છ) ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ?
– આણંદ
(૧૯૧) ગુજરાતની સાક્ષર નગરી એટલે ?
– દાહોદ
(૧૯૨) “મૃગી કુંડ” ક્યાં આવેલો છે ?
– જૂનાગઢ
(૧૯૩) ઈ.સ. ૧૯૩૯ માં ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં સ્થપાયું હતું ?
– વડોદરા
(૧૯૪) બ્રાહ્મણોના સાત કૂળદેવીના મંદિરો ક્યાં આવેલા છે ?
– પ્રાંતિજ
(૧૯૫) ઠક્કરબાપા સરોવર ક્યાં આવેલું છે ?
– દાહોદ
(૧૯૬) મહાન સંગીતકાર બૈજુ બાવરાનું જન્મ સ્થળ ક્યુ છે ?
– ચાંપાનેર
(૧૯૭) એશિયામાં માનવ સર્જિત યાર્નનું સૌથી મોટું માર્કેટ ક્યાં શહેરમાં આવેલું છે ?
– સુરત

Previous articleગુજરાતને દારુબંધીથી જઇ રહેલ ૯૮૬૪ કરોડની ખોટ અંગે નાણાંપંચ વિચારણા કરશે
Next articleચર્ચાસ્પદ શેરખાન પ્રોજેક્ટ અંતે રદ કરી દેવાનો નિર્ણય