ગ્રીનસીટી દ્વારા ૨૭ વૃક્ષોનું વૃક્ષારોપણ

1325

હાલ ચોમાસામાં ગ્રીનસીટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ થઈ રહ્યુ છે. આ વર્ષે પણ લગભગ ૧૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. મંગળવારના રોજ જ્વેલ્સ સર્કલ પાસે ડીવાઈડરમાં ગર્ગ ઓર્થોપેડિક હોસ્પિટલના સૌજન્યથી વધુ ૨૭ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ ડો. નીરજ જોષી તથા તેેમની બંને દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા મુકેશભાઈ પરીખ હાજર રહ્યા હતા.

Previous articleઅમદાવાદ એડ. સર્કલ એસો. દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો અપાયા
Next articleમધ્ય ગુજરાતમાં ભારે વરસાદ : ડભોઈમાં ત્રણ ઇંચ