ખાડીમાં પડેલ લાપત્તા યુવાનની ત્રીજા દિ’એ લાશ મળી

1607

 

શહેરના કુભારવાડા ખાર વિસ્તારમાં આવેલ ખાડીમાં મિત્રો સાથે ન્હાવા ગયેલ યુવાન લાપત્તા થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ અને સ્થાનીક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી જ્યારે આજરોજ યુવાનનો મૃતદેહ મળી આવતાં મૃતકના પરીવારજનોમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં કુંભારવાડા માઢીયા રોડ પર રહેતા અશોકભાઈ હીપાભાઈ જાદવ ઉ.૨૫ બે દિવસ પૂર્વ તેના મિત્રો સાથે ખારવિસ્તારની ખાડીમાં ન્હાવા માટે ગયો હતો જ્યાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનીકો અને ફાયર સ્ટાફ દોડી જી યુવાનની શોધખોળ કરી હતી જ્યારે આજે ત્રિજા દિવસે યુવાનનો મૃતદેહ લાકડીયા પુલ પાસેથી ખાડીમાંથી મળી આવ્યો હતો.

બનાવની જાણ થતા સ્થાનીક લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો તેમજ ફાયર સ્ટાફ પણ બનાવ સ્થળે પહોચ્યો હતો અને મૃતદેહને મહામહેનતે સ્થાનીકો દ્વારા ખાડી વિસ્તારનાં કાદવ-કીચડમાંથી બહાર કાઢ્યો હતો મૃતદેહ મળ્યાની જાણ યુવાનનાં પરિવારજનોને થતાં તેના પર આભ તુટી પડ્યુ હતું. પોલીસે મૃતદેહનો કબ્જો જરૂરી કેસ કાગળો કરી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleજીતુ વાઘાણી, મેયર સહિતનાં ભાજપના આગેવાનો દોડી ગયા
Next articleદાઠા ગામે વિદ્યાર્થીઓને રેઈનકોટનું વિતરણ