હીરાભાઈ સોલંકીની રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી તરીકે કરાયેલી નિમણુંક

1646

રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીને લોકસભા રાજકોટ બેઠકના પ્રભારીનું દાયીત્વ અને અમરેલી લોકસભા બેઠકના ૪ પ્રભારીઓની નિમણુંક થતા ભાજપ પરિવાર દ્વારા આ બેઠક જીતવા કટીબધ્ધ થયા.

રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીને રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી તરીકે ભાજપ દ્વારા અને અમરેલી લોકસભા બેઠકના ૪ પ્રભારીઓ જેમાં જયંતિભાઈ કવાડીયા, પૂર્વ મંત્રી જનકભાઈ બગદાણાવાળા, પૂર્વ ધારાસભ્ય સુરત શંકરભાઈ વેગડ, પૂર્વ સાંસદ રાજ્યસભા અને નિમુબેન બાંભણીયા પૂર્વ મેયર ભાવનગરની નિમણુંક થતા ભાજપ પરિવાર જે ગત ધારાસભાની તમામ પાંચેય બેઠકો ગુમાવી દીધેલથી આજથી લોકસભાની બેઠક ભાજપ પક્ષે જીતવા કવાયત શરૂ કરી છે અને રાજકોટ સીટને જીતવાની તમામ જવાબદારી રાજુલાના પૂર્વ સંસદીય સચિવ અને પ્રદેશ ભાજપ કોર કમિટીમાં સામેલ કરેલ. હીરાભાઈ સોલંકીને જવાબદારી સોંપાઈ છે.

Previous articleવલ્લભીપુર ખાતે સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ લાંબા સમયથી બંધ હાલતે
Next articleપાલિતાણા પંથકના પાંચ ગામોમાં વન્ય પ્રાણીઓનું વઘતું વિચરણ