શાંડીલ્ય ગોત્ર જોશી પરિવાર દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

1373

સિઘ્ઘપુર સંપ્રદાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાાતિ ના “શાંડીલ્ય ગોત્ર જોષી પરિવાર” દ્વારા શૈક્ષણીક ઈનામ વિતરણ નો કાર્યક્રમ ના સિંધુનગર છાત્રાલય ખાતે યોજાયેલ.

જેમા જ્ઞાતિના પ્રમુખ સુરેશભાઈ જોષી ( મિત્ર ) તેમજ પરિવાર ના રાહબર એવા વડીલ નિરંજનદાદા,જયદેવભાઈ જોષી, મહાવીરભાઈ જોષી, મનુભાઈ જોષી તથા  શીક્ષકસંઘ ના પ્રમુખ શિરીષભાઈ જોષી એ આશીૉવચન આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. કાર્યક્રમ ના અંતે ભુમીબેન કિરીટભાઈ, રાજ ભરતભાઈ દિપીકાબેન હિરેનભાઈ તેમજ જ્યોતીકાબેન તરફથી આવકારદાયક સુચનો મળેલ.

સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન પરિવાર ના સભ્ય વિઘી હિરેનભાઈ તથા અર્જુન હિરેનભાઈ એ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ઈન્દુકાકા. ધનશયામભાઇ વિજયભાઇ. હરેશભાઇ. રાકેશભાઈ જીતુભાઇ જયેશભાઈ વિપુલભાઇ સિધ્ધાર્થભાઇની ટીમે  જહેમત ઉઠાવેલ.

Previous articleદામનગરમાં શૌચાલયની સફાઈ કરવા માંગ
Next articleશૈશવના બાળકોને ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બતાવવાનો કાર્યક્રમ