ગિજુભાઈ કુમાર મંદિર ખાતે રસીકરણ કેમ્પ યોજાયો

816

ગિજુભાઈ કુમાર મંદિર ખાતે તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ધોરણ ૧ થી ૮ના બાળકોને રસી આપવાનો કાર્યક્રમ શાળામાં યોજાઈ ગયો. જેમાં શાળામાં ચાલતી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ અને જુનિયર રેડક્રોસથી પ્રવૃત્તિના બાળકો દ્વારા રસીકરણના કાર્યમાં સુંદર સહયોગ મળ્યો હતો. આ બાળકોએ નાના બાળકોને આશ્વાસન આપવાનું. બિસ્કીટ વિતરણ, પાણી વિતરણ તેમજ વાલી ભાઈઓ-બહેનોને માર્ગદર્શન આપવાના કાર્યમાં સુંદર સહયોગ આપ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમજ શાળાના આચાર્ય દ્વારા બાળકોના શાળા કાર્યમાં સહયોગ બદલ વાલી ભાઈઓ-બહેનોએ નોંધ લઈ પ્રસંશા કરી હતી.

Previous articleઅખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Next articleદેરાણીના ફુલ જેવા બાળકને મોતને ઘાટ ઉતારવામાં જેઠાણી વિરૂધ્ધ રાવ