અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલ અગ્નિવેશ સાથે મારપીટ

1486

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહેલા સ્વામી અગ્નિવેશ સાથે કેટલાક યુવકોએ મારપીટ કરી. ભાજપા હેડક્વોટરમાં જવાની કોશિશ કરી રહેલા સ્વામી અગ્નિવેશને કેટલાક લોકોએ દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર રોકી દેવામાં આવ્યા હતા અને તેમના સાથે ખરાબ વ્યવહાર શરૂ કરી દીધો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક સમય પહેલા સ્વામી અગ્નિવેશના નિવેદનથી ભાજપા પાર્ટી કાર્યકર્તાઓમાં ગુસ્સો છે. આના કારણે પૂર્વવડાપ્રધાનને શ્રદ્ધા સુમન અર્પિત કરવા આવેલ સ્વામીને કાર્યકર્તાઓએ બીજેપી મુખ્યાલયમાં પ્રવેશ કરવા દીધો નહતો. આ દરમિયાન સ્વામી વિરૂદ્ધ પાછા જાઓના નારાઓ પણ લગાવવામાં આવ્યા અને સ્વામી અગ્નિવેશને ધક્કાઓ મારીને ઘણા દૂર સુધી ખડેદી દેવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સ્વામી અગ્નિવેશ સાથે જાહેરમાં મારપીટ કરવામાં આવી હતી. તે વખતે પણ સ્વામીએ બીજેપીના કાર્યકર્તાઓ પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Previous article૧૧મી વર્ષગાંઠ નિમિત્તે રિલાયન્સ જ્વેલ્સએ ગ્રાહકો માટે રજૂ કરી નવી શ્રેણી
Next articleવાજપેયીની અસ્થિનું ઉત્તર પ્રદેશની દરેક નદીઓમાં કરાશે વિસર્જન