ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૨% રહેવાનું અનુમાન

1146

રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા ૨૦૧૮-૧૯ના વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ દર (જીડીપી)ના પોતાના અનુમાનમાં સુધારો કરીને ઘટાડો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૨ ટકા રહેવાનું અનુમાન છે. અગાઉ આ જ એજન્સીએ જીડીપી દર ૭.૪ ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.એજન્સીએ ક્રૂડ ઓઇલના ભાવ ૨૦૧૮-૧૯માં વધવાના કારણે ફુગાવો વધવાની શક્યતાના આધારે ભારતની જીડીપીનું અનુમાન ઘટાડ્યું છે. આ ઉપરાંત તમામ ખરીફ પાક માટે લઘુતમ સમર્થન મૂલ્ય વધારીને પાકના ખર્ચના દોઢગણા કરવાની અસર પણ આર્થિક વૃદ્ધિ દર પર પડશે.રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે પોતાના મધ્યવર્તી અહેવાલમાં જણાવ્યું છે કે વધતા જતા વ્યાપાર સંરક્ષણવાદ, રૂપિયામાં ઘટાડો જેવાં પરિબળોનાં કારણે હાલ મજબૂત આર્થિક સંકેતો મળી રહ્યા નથી.

Previous articleમાલ્યાને ભારતીય બેંકોને કેસ લડવાનો ખર્ચ ચૂકવવા બ્રિટિશ હાઈકોર્ટનો આદેશ
Next articleકેરળમાં મહાજળપ્રલય મૃતાંક વધીને ૩૨૪