ભારત એશિયા કપમાં ભારત પ્રેક્ટિસ કર્યા વિના જ પાકિસ્તાન સામે ટકરાશે!

1533

ઇંગ્લેન્ડ પ્રવાસેથી પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ટકરાશે. યુએઈમાં ૧૫થી ૨૮ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ભારત ૧૯મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે પરંતુ આ પહેલાં ૧૮મી સપ્ટેમ્બરે ભારતને ક્વોલિફાયર ટીમ સામે ટકરાવાનું છે. ભારતીય ટીમ આમ, બે દિવસમાં બે મુકાબલા રમનાર હોવાથી ભારતીય ટીમ આરામ વિના પાકિસ્તાન સામે ટકરાશે. બીસીસીઆઈ એશિયા કપના શિડયૂલથી નારાજ હતી પરંતુ તેમાં કોઈ બદલાવ કરાયો નથી. ભારતીય ટીમ ઇંગ્લેન્ડથી ૧૨ સપ્ટેમ્બરે ભારત પરત ફદ્ધશે જ્યારે તેના ચાર દિવસ બાદ ૧૬ સપ્ટેબરે મુંબઈથી દુબઈ જવા રવાના થશે. ૧૭ સપ્ટેમ્બરે એક દિવસની પ્રેક્ટિસ બાદ ભારત પોતાની પ્રથમ મેચ રમશે અને બીજા દિવસે પાકિસ્તાન સામે ટકરાશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બેટ્‌સમેન નાસિર જમશેદ પર પીસીબીના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ ૧૦ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ત્રણ સભ્યોવાળી ટ્રિબ્યૂનલે પોતાના ચુકાદામાં કહ્યું કે, કોઈ પણ ક્રિકેટ ફોર્મેટમાં પ્રતિબંધ લગાવવા ઉપરાંત આજીવન પાકિસ્તાન ક્રિકેટમાં કોઈ પણ પ્રકારના સંચાલનની જવાબદારી માટે પણ અયોગ્ય જાહેર કરવા જણાવ્યું હતું.

Previous articleવાસણા ગામ નજીક અજાણ્યા વાહને બાઈક-છકડાને ટક્કર મારતા એકનું મોત, ર ગંભીર
Next articleએરપોર્ટ રોડ, રવેચી ધામ ખાતે ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ કરાયું