કેરળ પૂરઃ વિદેશની નાણાંકીય સહાય લેવા ભારતનો ઈન્કાર

1310

કેરળ રાજ્યમાં આવેલી અભૂતપૂર્વ, વિનાશકારી પૂરની આફતને પગલે દુનિયાના અનેક દેશોએ ભારતની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા બતાવી છે અને કેરળના પૂરપીડિતો માટે સહાયતાની જાહેરાત કરી છે. પરંતુ, ભારત સરકારે તેની જૂની નીતિને વળગી રહેવાનું નક્કી કર્યું છે, કે બહારના દેશો પાસેથી નાણાકીય મદદ સ્વીકારવી નહીં.ભારત સરકારે દુનિયાભરમાં ભારતીય દૂતાવાસોને સૂચના આપી દીધી છે કે તમારે એમ કહીને બહારના દેશો પાસેથી નાણાકીય સહાયને નમ્રતાપૂર્વક નકારી કાઢવી કે ભારત સરકારે પડકારોનો સામનો કરવા માટે માત્ર સ્થાનિક પ્રયાસો પર નિર્ભર રહેવાનું જ નક્કી કર્યું છે.રાજદૂતોને વધુમાં એવી સૂચના અપાઈ છે કે, તમારે બહારના દેશોને એમ જણાવવું કે ભારતની જનતા તથા ભારતની સરકાર પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે.

કેરળમાં વિનાશકારી પુર બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એકબાજુ ૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં પુરમાં મોતનો આંકડો ૨૩૧ સુધી પહોંચી ગયો છે.બીજી બાજુ મે મહિના બાદથી વરસાદ અને પુરમાં મોતનો આંકડો વધીને ૪૦૬ ઉપર પહોંચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયન દ્વારા ૨૬૦૦ કરોડની સહાયની માંગ કરવામાં આવી છે. વરસાદમાં બ્રેક મુકાતા હવે રાહત કામગીરી તીવ્ર બની ગઈ છે. હજુ સુધી ૪૩૦૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે સોમવારના દિવસે ૬૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા.

૩૮૭૯ રાહત કેમ્પોમાં ૩.૯૧   લાખ પરિવાર સાથે જોડાયેલા ૧૪.૫૦ લાકો રોકાયેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેટ કન્ટ્રોલ રુમના જણાવ્યા મુજબ ૮મી ઓગસ્ટ બાદથી ૨૩૧ લોકોના મોતની સાથે ૩૨ લોકો હજુ પણ લાપત્તા દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે માંગવામાં આવ્યા છે.  ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનો આંકડો ૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. સંયુક્ત અરબ અમીરાતે હવે કેરળના પુનઃ નિર્માણમાં ૭૦૦ કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. જુદા જુદા રાજ્યો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ૪૦ હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે. ૨૬૦૦૦ મકાનો નાશ પામ્યા છે. એક લાખ કિલોમીટરના માર્ગો નાશ પામ્યા છે. અર્થતંત્રની કમર તુટી ગઈ છે. ૧૩૪ પુલ પણ નુકસાન પામી ચુક્યા છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે. કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર હોવાથી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ છ ફુટ સુધી પાણી રહેલા છે. ઇર્નાકુલમ જિલ્લામાં રાહત કેમ્પમાં સૌથી વધુ ૫.૩૨ લાખ લોકો છે. ઇર્નાકુલમમાં ૮૫૦ રાહત કેમ્પો છે. રાજ્યભરમાં મોટાભાગની નદીઓમાં પાણીની સપાટી ઘટી રહી છે પરંતુ નદીના કિનારાના વિસ્તારો હજુ પણ મુશ્કેલીમાં છે. કેરળમાં આઠમી ઓગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનો આંકડો ૨૩૧ ઉપર પહોંચી ગયો છે. ૩૮૭૯ રાહત કેમ્પમાં ૧૪.૫૦ લાખ લોકોને રાખવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો માટે તમામ વ્યવસ્થા કરવાની બાબત પણ મુશ્કેલીરૂપ છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. સ્થિતીમાં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે.  અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૪૦૬ સુધી પહોંચી ગયો છે. ઇર્નાકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સૌથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સૌથી વધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા ૧૪.૫૦ લાખની આસપાસની છે જે ૩૮૭૯ રાહત કેમ્પમાં છે. પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે.  દસ  હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી ૧૪ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. ૧૯૨૪ બાદથી હજુ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે.   ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. નુકસાનનો આંકડો તો અભૂતપૂર્વ છે.   નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે.

પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. .કેરળમાં હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. ૮૦ બંધને ખોલી દેવામાં આવ્યા છે. કોચીમાં નેવલ એરપોર્ટ  ખાતેથી ફ્લાઇટ ઓપરેશનની શરૂઆત કરી દેવામાં આવી છે.  હવે બચાવ અને રાહત કામગીરીની સાથે સાથે રાહત કેમ્પોમાં રહેતા લોકોને ફરીથી તેમના આવાસ પર પહોંચાડી દેવાની પણ સમસ્યા છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારની સામે પણ આ એક મોટો પડકાર છે. ભારત સરકાર સ્થિતીને પહોંચી વળવા માટે આશાવાદી છે. કેરળ પુરને કુદરતી હોનારત તરીકે જાહેર કરીને બચાવ કામગીરી વધારે તીવ્ર બનાવી દીધી છે.

Previous articleકુલભૂષણને ફાંસી કરાશે કે કેમ તે અંગે ફેબ્રુઆરીમાં સુનાવણી
Next articleઇદના દિવસે જ શ્રીનગરમાં હિંસા : સ્થિતી વિસ્ફોટક બની