સ્વ. અટલજીને વિવિધ પક્ષના આગેવાનોએ શ્રધ્ધાંજલિ પાઠવી

1360

ભારતના પુર્વ વડાપ્રધાન, ભારતરત્ન સ્વ. અટલ બિહારી બાજપાઈને શ્રધ્ધાંજલિ પાઠવવા ભાવનગર શહેર ભાજપ દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરિયમ ખાતે સર્વપક્ષીય પ્રાર્થના સભા શ્રધ્ધાંજલિલ કાર્યક્રમ ભાવનગરના પ્રભારી અને રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થીતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર, તેમજ સંતો મહંતો કે.પી.સ્વામી, રામચંદ્રદાસજી, રામકૃષ્ણ શાસ્ત્રી, વિશનુ સ્વામી, હરનાથબાપુ, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પુર્વ મેયર રમણીકભાઈ પંડયા, અરૂેણભાઈ મહેતા, જનવાદી મહિલા સંઘના નલીનીબેન જાડેજા, સિનીયર ધારાશાસ્ત્રી વિનુભાઈ ગાંધી, વિહીપના કિરીટભાઈ મિસ્ત્રી, નાગરિક બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, મહિપતસિંહ ગોહિલ, ચીમનભાઈ યાદવ, તેમજ ભાવનગરની વિવિધ સામાજીક, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ભાજપના નગરસેવકો, વિવિધ પાંખના પ્રમુખ સહિત હોદ્દેદારો વિગેરેએ ઉપસ્થિત રહી. અટલજીને શ્રધ્ધાંસુમન અર્પણ કરી બે મીનીટનું મૌન પાળ્યું હતું. અને અટલજીની સ્મૃતિઓ વાગોળી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, રાજુભાઈ બાંભણીયા, મહેશભાઈ રાવળ સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleબ્રહ્મકુમારી બહેનોએ કેદીઓને રાખડી બાંધી
Next articleટોપ અધિકારીની ફર્સ્ટ ક્લાસ વિમાન યાત્રા પર પ્રતિબંધ