સેક્ટર-૫-એ ખાતે આવેલ પંચમુખી મહાદેવ મંદિરે રાધા કૃષ્ણ મંડળ દ્વારા વિવિધ વસ્તુના હિંડોળા બનાવી ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે આયોજકો દ્વારા રાખડીના હિંડોળા બનાવવામાં આવેલા છે. આયોજક નિરૂબેન નાયક અને મંડળના સભ્યોએ ભાગ લીધો હતો. આ રાખડી હિંડોળાના વસાહતી ભાઇ બહેનોએ દર્શનનો લાભ લીધો હતો.