રામદેવરા ટ્રસ્ટ દ્વારા પાલિતાણામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

954

રામદેવરા ચેરીટેબલ ટ્રસ્ટ આંબેડકર સોસાયટી પાલિતાણા – રામાપીરની જગ્યામાં પવિત્ર રક્ષાબંધન પર્વની તેમજ સુલેખન સ્પર્ધાની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંબેડકર સોસાયટીના ભાઈઓ બહેનોએ બાળકોને રાખડી બાંધેલ તેમજ અગાઉ યોજાયેલ સુલેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય તેમજ તૃતિય ક્રમે ઉર્તિણ થયેલ બાળકોને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવેલ.  આ પ્રસંગને પ્રોત્સાહિત કરવા રામદેવરા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ મારૂ, દિનેશભાઈ મારૂ, જગદિશભાઈ પરમાર, શિક્ષક ભાઈઓ તેમજ સત્સંગ મંડળના બેહનો જોલબેન, સોનાબેન તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

Previous articleદામનગરના સ્મશાનમાં સત્સંગ યોજાયો
Next articleસિહોરમાં ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા સન્માન સમારોહ