ST બસ ખાડામાં ખાબકી

1064

ગુજરાત એસટી બસને અંબાજી નજીક અકસ્માત નડ્યો હોવાની ઘટના બની હતી. અમદાવાદથી અંબાજી જતી બસ અંબાજી નજીક ખાડામાં ખાબકી હતી. બસના ડ્રાઇવરે અચાકન સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જોકે, આ ઘટનામાં બસમાં સવાર 45 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે બસના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસ જ્યારે ખાડામાં ખાબકી ત્યારે આ બસ નજીકમાં પસાર થતાં વીજ વાયરને અડકી હતી જોકે, વીજપુરવઠો બંધ હોવાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને બચાવ કામગીરી હાથધરી હતી. બસમાં સવાર 45 જેટલા લોકોને બસમાંથી બહાર કાઢીને સલામત રીતે અંબાજી ખસેડવામાં આવ્યા હતા.

Previous articlePM મોદી આજે બીજેપીના મુખ્યમંત્રીઓ સાથે
Next articleરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી