જયલલિતા બાયોપિક નિર્દેશ કરશે પદ્મશ્રી ભરથીરાજા!

1194

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દિગ્દર્શક પી.ભરથીરાજાએ તમિળનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારીત બાયોપિક બનવવા જઇ રહ્યા છે અને    વાય-સ્ટાર સીટીપીએલના એવોર્ડ વિજેતા નિર્માતા આદિત્ય ભરદ્વાજ સાથે મળીને આ ફિલ્મ બનાવવનો નિર્ણય કર્યો છે .

આ વિશે આદિત્ય ભરદ્વાજે જણાવ્યું હતું કે “અમે એક વર્ષથી  આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ અને ડિસેમ્બર ૨૦૧૭ માં તેમના મૃત્યુના અમ્માની વર્ષગાંઠ પર જાહેરાત કરી હતી, અમે ફિલ્મને મોટું બનાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છીએ તમિલનાડુની રાજકારણમાં જયલલિતા પાત્ર અને વ્યક્તિત્વની વાત છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે ત્યારે પ્રેક્ષકો અમારા કામની પ્રશંસા કરે”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે “મહાન ડિરેક્ટર ભરથીરાજા સર સાથે આવા પ્રોજેક્ટ પર કામ કરવાનો અમને વિશેષાધિકાર છે, જે અમારી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મનું નિર્દેશન કરશે,જે આપણા દેશના મહાન વ્યક્તિત્વના જીવન પર આધારીત ફિલ્મ છે અને લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરશે”

Previous articleમોદી હવે લિંક્ડઇન પર પણ છવાઇ ગયા છે : લોકપ્રિયતા
Next articleજયા પ્રદા ટચૂકડા પડદાની સિરીયલમાં ચમકશે