પ્રફુલ પટેલ મુદ્દે એનસીપી દ્વારા કેલકટરને આવેદન

1232

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એન.સી.પી.ના પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ તાજેતરમાં પાસ કન્વીનર હાર્દિક પટેલની ઉપવાસી છાવણી ખાતે હાર્દિકના ખબર અંતર પુછવા માટે જઈ રહ્યા હોય તે વેળા પોલીસ દ્વારા તેમને અટકાવ્યા હતા જે બાબત અંગે ભાવનગર એન.સી.પી. દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી એવા પ્રકારે રજુઆત કરી છે કે આઝાદ ભારતદેશમાં લોકશાહીના શાસનમાં સ્વતંત્ર નાગરીકની સ્વતંત્રતા જોખમાઈ રહે છે એક પૂર્વ નેતાને પોલીસ દ્વારા અટકાવી સરકારના ઈશારે લોક આઝાદી છીનવવાનો હિન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના અતિશરમ જનક અને દુઃખદ ગણાય રહી છે ત્યારે આ અંગે સરકારનું ધ્યાન દોરવા અને લોક અધિકારો અને તેની આઝાદી ન છીનવવા રજુઆત કરી રહ્યા છીએ તેમ આવેદન પત્રમાં જણાવ્યુ છે.

Previous articleનાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જીતુ ઉપાધ્યાયની પેનલે ફોર્મ ભર્યા
Next articleભાવનગરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકનો થશે પ્રારંભ