તળાજાના સણોદર નજીક ટેન્કર અડફેટે છકડા ચાલકનું મોત

1225

તળાજાના શોભાવડ ગામે રહેતા પ્રજાપતી આધેડ બોટાદથી તાવડીઓ લઈ પોતાના ગામ તરફ આવતા હતા ત્યારે ટેન્કરના ચાલકે પાછળથી ટલ્લો મારતાં છકડા ચાલક આધેડનું મોત નિપજવા પામ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ  તળાજાના શોભાવડ ગામે રહેતા કુંભાર વેપારી હરગોવિંદભાઈ મુળજીભાઈ વાઘેલા બોટાદથી રાંધણમાં વપરાતી તાવડીઓ છકડામાં ભરી પોતાના ગામ તરફ આવતા હતા ત્યારે સાણોદર ગામથી તણસા જવાના રસ્તે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેન્કર નં. આર.જે. ર૧ જી.ડી. ૯૩૭૯ના ચાલકે છકડા નં. જી.જે.૪ વાય ૭૭૭ને પાછળથી ટલ્લો મારતાં છાકડાના ચાલક હરગોવિંદભાઈનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleમહાલક્ષ્મી સ્કુલ ખાતે પર્વની ઉજવણી
Next articleમોરચંદ ગામની વાડીના મકાનમાં તીનપત્તી રમતા ૧૭ શકુની ઝડપાયા