કોલવડા ગોગા મહારાજના મંદિરે મેળો ભરાયો

2240

ગાંધીનગર નાગ પાંચમને લઇને ગોગા મહારાજના મંદિરે મેળા યોજાયા હતા. શહેર પાસેના કોલવડામાં આંબલીવાળા ગોગાજીના મંદિરે મેળો યોજાયો હતો. સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે ભક્તોને પ્રસાદ સ્વરૂપે રબારી સમાજ દ્વારા દૂધનુ વિતરણ કરાયુ હતુ. ભુવાજી ઇશ્વરભાઇ, અને વિરમભાઇ દેસાઇ સહિત હાજર રહ્યા હતા.

Previous articleન્યૂ ગાંધીનગરમાં ૧૧૨ સ્થળેથી બ્રિડીંગ મળ્યા
Next articleપોલીટેકનીકમાં સિક્રેટ ઓફ સકસેસ પર સેમિનાર યોજાયો