ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠની પૌત્રી સ્વરા શેઠના જન્મદિન નીમિત્તે વૃક્ષારોપણ

856

ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા છેલ્લા કેટલાય વર્ષોથી તન-મન-ધનથી પ્રયત્નશીલ એવા ગ્રીનસીટીના પ્રણેતા દેવેનભાઈ શેઠએ એ બુધવારે તા.૫ના રોજ તેમની પૌત્રી સ્વરાના પ્રથમ જન્મદિનની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરી હતી. આ વૃક્ષારોપણ દેવેનભાઈ શેઠનો સમગ્ર પરિવાર મલ્લિકા શેઠ, વેદાંત શેઠ, મીલી શેઠ તથા સ્વરા શેઠએ સાથે મળીને કર્યુ હતું. દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે ‘સ્વરા’એ અમારા પરિવારનો વ્હાલનો દરિયો છે. અને તેના દરેક જન્મદિવસની ઉજવણી અમો વૃક્ષારોપણ કરીને જ ઉજવીશું.

Previous articleહાર્દિકના સમર્થનમાં નારી ગામે થાળીનાદ
Next articleમોટી રાજસ્થળી ગામે પાટીદારોનાં ધરણા કરાયા