ધંધુકા એસ.ટી. ડેપો ખાતે ફરજ બજાવતા મેનેજર ડી.એચ. ચુડાસમાની ભાવનગર વિભાગના બરવાળા ખાતે બદલી તથા આજે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
કર્મચારીઓ દ્વારા વિદાય થઈ રહેલો ડેપો મેનેજર ચુડાસમાને ફુલહાર, શાલ ઓઢાડી તેમજ અન્ય ભેટ સોગાદો આપીને ઉષ્માભર્યુ વિદાયમાન અપાયું હતું.
આ પ્રસંગે ક્રિપાલસિંહ વાઘેલા કર્મચારી મંડળ, જે.જે.ઝાલા મજુર મહાજન તથા તાહિરભાઈ કોઠારીયા, બી.એમ.એસ. ત્રણેય યુનિયના આગેવાનો તથા વર્કશોપ કર્મચારીઓ તથા ડ્રાઈવર – કંડકટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.