તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે સાંસ્કૃતિક સ્વાધ્યાય કસોટી યોજાઈ. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા. સમાજને આજે સારા માનવોની જરૂર છે. વિશ્વમાં સમસ્યાઓ દર વર્ષે વધતી જઈ રહી છે. તેનું સમાધાન કરનાર સાહસિક, ઉદાર, સરચરિત્ર અને નિઃસ્વાર્થ શક્તિઓની જરૂર છે. આ માટે આપણે નવી પેઢી તૈયાર કરવી પડશે. જે નાની ઉંમરથી પોતાનામાં આ ગુણો લાવી શકે.