ફાયર વિભાગના હંગામી કર્મીઓને કાયમી કરવા માંગ

1122

ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર હંગામી ધોરણે ફરજ બજાવતા ડ્રાઈવરોએ કાયમી કરવાની માંગ સાથે ડે.કમિશ્નરને રજૂઆત કરી છે.

ભાવનગર અગ્નિશામક દળમાં નિયત કરાર આધારે ૧૧ ડ્રાઈવરો ફરજ બજાવે છે. આ કર્મીઓ અનિયમિત પગાર તથા કાયમી ફરજ નિમણુંક સહિતના પ્રશ્ને સત્તાવાળ તંત્રને વારંવાર રજૂઆતો કરી ચુક્યા છે પરંતુ તંત્રએ યોગ્ય પ્રતિસાદ ન આપતા આજે તમામ ૧૧ ડ્રાઈવરોએ ડે. કમિશ્નરને રૂબરૂ મળી અંતિમ અલ્ટીમેટમ સાથે પ્રશ્નો ઉકેલની માંગ કરી છે અને જો ર૪ કલાકમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો સામુહિક હડતાલની ચિમકી ઉચ્ચારી છે.

Previous articleજીંગા ફાર્મમાંથી ચોરી થયેલ મોટર અને પંખા સહિતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
Next articleઘોઘા ગામે રામદેવપીર જન્મોત્સવની ઉજવણી