એકટીવા, બાઈકનો અકસ્માત સર્જાતા વિદ્યાર્થીનીનું કરૂણ મોત

1498

શહેરના કાળીયાબીડ ભગવતી સર્કલ નજીક બપોરના સમયે એકટીવા અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એકટીવા પર સવાર વિદ્યાર્થીનીનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

બનાવની મળતી વિગતો મુજબ, શહેર નજીકના અકવાડા ગામે રહેતા ઉપેનભાઈ મકવાણાની પુત્રી માનસીબેન મકવાણા ઉ.વ.૧૯ જે નંદકુંવરબા મહિલા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજે બપોરના સમયે કોલેજ પૂર્ણ કરી એકટીવા સ્કુટર પર ઘરે પરત જતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઈકના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જાતા માનસીબેનને લોહીયાળ ઈજાઓ સાથે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા કોળી સમાજના આગેવાનો સહિત સર ટી. હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવ બનતા પરિવારજનોમાં ભારે શોક છવાઈ જવા પામ્યો હતો.

Previous articleધોળા દિવસે તસ્કરો મકાનમાં ધુસી ૪પ હજારની મત્તાની ચોરી કરી ગયા
Next articleબોરતળાવના પાળા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી