શહેરના બોરતળાવ પાણીના પાળા પાસે અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ થતા બોરતળાવ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના બોરતળાવ ખાતે પાણીના પાળા પાસે સવારના સમયે કોઈ પુરૂષની લાશ પડી હોવાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.