બીએસએફના જવાનની બર્બર હત્યાથી દેશમાં આક્રોશનું મોજુ

799

જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ક્ષેત્રના ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પાકિસ્તાની રેન્જર દ્વારા બીએસએફ જવાન નરેન્દ્રસિંહની બર્બરતા સાથે કરવામાં આવેલી હત્યાથી દેશભરમાં તંગદિલીપૂર્ણ માહોલ છે. બીજી બાજુ વિપક્ષે સરકાર પર જવાનોની સુરક્ષાને લઇને હવે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, સરકાર સેનાનો રાજકીય લાભ ઉઠાવવા માટે ઉપયોગ કરી રહી છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જવાનો ઉપર થઇ રહેલા હુમલાઓ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. મંગળવારના દિવસે પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ નજીક આઈબી પર બીએસએફના એક જવાનની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં કોહરામની સ્થિતિ મચી ગઈ છે.  આ બર્બર ઘટના મંગળવારના દિવસે રામગઢ સેક્ટરમાં થઇ હતી. સુરક્ષા દળોએ ૯૨ કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૭૪૦ કિલોમીટર લાંબી અંકુશરેખા પર હાઈએલર્ટની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું છે કે, પહેલા હેમરાજ અને હવે નરેન્દ્રસિંહની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાને તેમની બર્બરતાપૂર્વક હત્યા કરી છે. સરકાર શું કરી રહી છે. મોદીના છપ્પન ઇંચની છાતી અને લાલ આંખ ક્યા ગઈ છે. એકના બદલે ૧૦ માથા લાવવાનું વચન શું થયું. સરકારને જવાનોની કોઇ પડી નથી. મોદી જવાનોની સુરક્ષા માટે કોઇ પગલા લઇ રહ્યા નથી. દેશ જવાબ ઇચ્છે છે. બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું છે કે, સરકારને કઠોર પગલા લેવા પડશે. પાકિસ્તાની પોલિસીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, માત્ર નિવેદનબાજીથી કામ ચાલશે નહીં. વિપક્ષમાં રહીને સરકાર દ્વારા માત્ર પ્રહારો કરવામાં આવે છે.

Previous articleકેરળ નન રેપ કેસ : કેમેરા હેઠળ બિશપની પુછપરછ
Next articleરાફેલ અને NPAને લઇ રાહુલ ખોટું બોલી રહ્યા છે