ભાવનગર હવાઈ મથકે મંત્રીની ઉડતી મુલાકાત

1150

કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહએ ભાવનગર એરપોર્ટની ઉડતી મુલાકાત વલીધી હતી આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી ખાતે રાજ્યના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોય આ કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દિલ્હીથી વિમાન માર્ગે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા જ્યાંથી હેલીકોપ્ટર દ્વારા અમરેલી પહોચ્યા હતા અને ત્યાંથી કાર્યક્રમ પૂર્ણ કરી પુનઃ ભાવનગર એરપોર્ટ આવ્યા હતા જે દરમિયાન ભાવનગર શહેર ભાજપના હોદ્દેદારોએ રાજનાથસિંહને આવકાર્યા હતા અને મહારાજા કૃષ્ણકુમારસિંહની તસ્વીર કૃતિ અને પુષ્પગુચ્છ સ્વાગત કર્યુ હતું.

Previous articleતળાજાના બોરડા ગામ નજીક વહેલી સવારે ટ્રક સળગી ઉઠ્યો
Next articleગરવા ગણેશજીને અન્નકુટનો મહાભોગ