આ વર્ષે બોટાદ જીલ્લામાં વરસાદ સાવ ઓછો પડ્યો હોય અને ખેડુતના ખેતરમાં પાણી ના વાકે પાક નિષ્ફળ નો જાય તે માટે નર્મદા કેનાલનુ પાણી ખેડુતોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે બરવાળા અને રાણપુર તાલુકાના સરપંચો અને આગેવાનોએ સાથે મળી બોટાદ જીલ્લાના કલેક્ટર સુજીતકુમારને આવેદનપત્ર આપ્યુ હતુ અને ખેડુતોને કેનાલનુ પાણી મળી રહે તે માટે રજુઆત પણ કરી હતી.