હિંમતનગરના બલવંતપુરામાં ખેતરમાથી ૧ લાખથી વધુના ચંદનના લાકડાંની ચોરી

1089

હિંમતનગરના બલવંતપુરા ગામની સીમમાં ચંદન ચોરોએ બે દિવસના ગાળામાં બબ્બે વખત આવી ખેતરમાંથી અંદાજે રૂ. ૧ લાખની કિંમતનું ચંદનના લાકડા ચોરી ગયા હતા અને૧૦ ઝાડ કાપી ગયા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જુના બલવંતપુરા ગામમાં રહેતા મોહનસિહ હીરસિહ ચૌહાણના ખેતરમાં શુક્રવાર રાત્રી દરમિયાન વરસેલા વરસાદનો લાભ લઈ ચંદન ચોરોએ ખેતરના શેઢા ઉપર ઉગેલ ચંદનના ઝાડ ઉપર કટ મુકી ચકાસણી કરી હતી.

બીજા દિવસે આ જોતાં કોઈએ કર્યું હશે એવું માની લીધા બાદ સોમવાર રાત્રી દરમિયાન ચંદન ચોર ફરી ત્રાટકયા હતા અને દસેક જેટલા નાનાં મોટાં ચંદનના ઝાડ કટર જેવા સાધનથી કાપીને લઈ ગયા હતા. મોહનસિહ ચૌહાણની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે અંદાજે ૧ લાખની કિંમતના દસેક ઝાડ કાપીને ચોરી કરી લઈ જવા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Previous articleમોડાસાની સ્કૂલમાં વિદ્યાર્થીનિઓ સાથે અડપલાં કરતો શિક્ષક સીસી કેમેરામાં કેદ થતાં સસ્પેન્ડ
Next articleઉપવાસ છાવણી ખાતે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા ૭ર કલાકના ઉપવાસ