સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ ભાવેશભાઈ ઠકકર પર અજાણ્યા ટોળા દ્વારા જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટતા પ્રમુખને તત્કાલ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ આ બનાવ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓની ધરપકડ ન કરાતા અને અવાર-નવાર વિહિપના અગ્રણીઓ પર વધતા જતા હુમલાના બનાવો સંદર્ભે ભાવનગર શહેર જિલ્લા બજરંગદળ તથા વિહિપના સભ્યો દ્વારા ઘોઘાગેટ ખાતે ઉગ્ર દેખાવો યોજી રોષ વ્યકત કર્યો હતો અને બનાવમાં સંડોવાયેલ લોકોને ઝબ્બે કરી દાખલારૂપ સજાની માંગ કરી હતી આ દેખાવોને લઈને પોલીસ દ્વારા બજરંગદળના પ્રમુખ અશોકભાઈ ગોહિલ, ઉપપ્રમુખ રાહુલ સોલંકી, સંજય બાંભણીયા, કિરીટભાઈ મિસ્ત્રી (મામા) સહિતના સભ્યોની ધરપકડ બાદ છુટકારો થયો હતો.