શિશુવિહારમાં કવિઓનો સન્માન સમારોહ

830

શિશુવિહાર બુધસભાનું વર્ષ ૨૦૧૭-૧૮ની ૫૬ બેઠકોનું સંચાલન કરનાર કવિ ડો.નટુભાઈ પંડ્યા, દાન વાઘેલા, કમલેશ ભટ્ટ, કવયિત્રી જિજ્ઞાબહેન ત્રિવેદી તથા સૂચિતાબેન કપૂર નું અભિવાદન બુધસભાની ૧૮૮૬ મી બેઠકમાં થયું. પ્રાધ્યાપક ડૉ. ગંભીરસિંહજી ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલ સન્માન સમારોહમાં રાજ્યના પૂર્વ સાહિત્ય – સાંસ્કૃતિક વિભાગના સચિવ મનોજભાઈ જોશી, ભાવનગર યુનિવર્સિટી ભાષાભવનના અધ્યક્ષ પ્રા. ડૉ. મહેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત રહી બુધસભાની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. આ પ્રસંગે બુધસભાના વરિષ્ઠ કવયિત્રી દર્શનાબેન રાવલનાં ૬૦મા જન્મદિનની શુભેચ્છા પણ વ્યક્ત કરાઈ હતી.

Previous articleબજરંગદળ પ્રાંત પ્રમુખ પર હુમલાના વિરોધ ભાવનગરમાં ઉગ્ર દેખાવો
Next articleસર ટી. હોસ્પિટલમાંથી ચોરી કરેલ બે બાઈક સાથે બે શખ્સો ઝડપાયા